શનિવાર, 19 જાન્યુઆરી, 2013

સફળતાનો આધાર ધીરજ છે

                  એક સંત પાસે યુવક ગયો અને તેને શિષ્ય તરીકે સ્વીકારી ઉપદેશ આપવા જણાવ્યું .. સંતે તેને કહ્યું કે , પહેલા તું મારા માટે સાધના કરવા માટે એક ઝૂપડી બનાવ . પેલા યુવકે ઝૂપડી બનાવી . ગુરુએ તેને તોડી ફરી બનાવવા કહ્યું . આવું અગિયાર વાર થયું . બારમી વખતે સંતે યુવકને કહ્યું કે , તારું શિક્ષણ પૂરું થયું . તારામાં જે ધીરજ છે તે જીવનના કોઇપણ કામમાં સફળતા જ અપાવશે . કારણકે તે શંકાને વશ થયા વિના આજ્ઞાનું પાલન કર્યું . નિષ્ઠાથી ફરજ બજાવી જે બહુ મોટી વાત છે ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો