સોમવાર, 24 ડિસેમ્બર, 2012

સાચોસાચ પડઘો

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,

હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.



-ગની દહીંવાલા

‘મારી દીકરી ક્યાં ?’

આખરે ઉજાગરાનો અંત આવ્યો:

લગન ઊકલી ગયાં.


મા હવે


ઘરની ચીજવસ્તુઓ ગણે છે


સંભારી સંભારી મેળવે છે


સંભાળી સંભાળી ગોઠ્વે છે:


થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-


બધું બરાબર છે


ક્યાંય કશુંય ખોવાયું નથી


કશુંય ગયું નથી-


પણ

અચાનક કંઈક યાદ આવતાં


એ ઓરડા વચ્ચે


ઊભી રહી જાય છે


આંખોમાંથી ટપકું ટપકું થાય છે


ખારો ખારો પ્રશ્ન :


‘મારી દીકરી ક્યાં ?’

વધુ પ્રેમ કરો

૧. માં સિવાય કોઈ વફાદાર નથી.

૨. ગરીબનો કોઈ મિત્ર નથી.

૩. લોકો સિરત નહીં સારી સૂરત જ જુવે છે.

૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે.

૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે...

નથી હોતા

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી

 કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા.

નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા.

તરંગો પણ બધી નદીઓ તણા સરખાં નથી હોતાં.

પુસ્તક

જેના હાથમાં પુસ્તક છે એ દુનિયાના કોઈ પણ ખૂણે ખુશ અને સુખી જ 

રહેવાનો..!!

સપનાં

સપનાં સાચાં પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે..!!

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

ભૂલતા શીખો

બાળપણમાં ઘણું ભૂલી જવાતું ત્યારે કહેવાતું કે યાદ રાખતા શીખો ,

અને મોટા થયા ત્યારે બધું યાદ રહે છે ,

ત્યારે કહેવાય છે કે ભૂલતા શીખો .....

શનિવાર, 10 નવેમ્બર, 2012

સુવિચાર

* સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે ...
* બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય .
* સુખ અને હર્ષ નાશ પામે છે ..
* તમે દુખી છો એવું જાણ્યા  વિના દુઃખને સહન કરો .
* જેટલું તમે ધ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે ..
* હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું .
* પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો .
                         - સ્વામી વિવેકાનંદ 


સ્વામી વિવેકાનંદ એટલે ?

સ્વામી વિવેકાનંદ એટલે  ? 

સ્વા: સ્વાભિમાની બનો .
મી  : મીઠું બોલો અને મિતભાષી બનો .
વિ  : વિવેકી અને વિનયી બનો .
વે   :  વેપારી નહી પણ વ્યવહારુ બનો .
કા   : કાર્યરત રહી , ધ્યેય પ્રાપ્તિ કરો .
નં    : નંદનવન જીવનને બનાવો .
દ     : દયાળુ બનો , દયાપાત્ર તો નહી જ .....

અનમોલ રત્નકણિકા

પૃથ્વી પરનો ગરીબ માનવી એ નથી કે જેની પાસે નાણાં  નથી પણ એ છે કે જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે ...

++++++

પૈસા માટે પરસેવો પાડનાર ઘણા હોય છે પણ પર - સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ ....

++++++

હાસ્ય એ તત્ક્ષણ મળી શકે એવું વેકેશન છે ...

+++++

ઉછીનું અજવાળું એક્ષ્પાયરીડેટ  સાથે જન્મે છે ...

+++++

આપીને જે આનંદ અનુભવે તે સ્નેહ , અને લઈને જે રાજી રહે તેનું નામ સ્વાર્થ ...

+++++

રસ્તાના દરેક વળાંકે એક પડઘો સંભળાય છે .." Everyone wants change ."

+++++

પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઉભો કરી દો , એને કોઈ ભેદી શકશે નહી ...

ટેલિફોનનો થાંભલો

આંગણામાં ઉગ્યો છે ટેલિફોનનો થાંભલો  !
ઊંડા ઊંડા છે એના મૂળ 
લહેરાય છે એના તાર 
ને ટહુકે છે એની રીંગ 
ઓ વૃક્ષો ,
મને માફ કરજો ..
હું તમને ભૂલતો જાઉં છું ....
        
               - યશવંત ઠક્કર 

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

સૌનો સાથ , સૌનો વિકાસ

પ્રાણથી પણ પ્યારો છે મારો દેશ ,
વ્હાલો ,અનેરો છે મારો દેશ ...
સદાય વિકસતો મારો દેશ !!!!!
સૌનો સાથ , સૌનો વિકાસ 

મારો દેશ

મને વ્હાલો છે મારો દેશ ,
તેના માટે હું કરી શકું ગમે તે ,
પર્વત તો શું !
હિમાલયને પણ હલાવી 
દઉં ...વ્હાલા દેશને કાજ ...

પર્વતે

ગુસ્સામાં આવી 
પર્વતે 
ઘા 
કરીદીધો !!!

ગાંધી

ગાંધીની છાતીમાં 
બંદુકની ગોળીથી 
ખીયા હતા ત્રણ ગુલાબ ,
નહેરુ 
પોતાના કોટમાં 
હમેશ ગુલાબ 
રાખતા , 
પણ મારે કોટ કે છાતી જ 
ક્યાં છે?
!
કે બાપુ !...
તમારા દીધેલા 
ગુલાબ રાખી શકું ??
  - ગીરીન જોશી 

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

સાહિત્ય બિંદુ,


દરિયો હતો હોડી હતી ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો
                           અશોકપુરી ગોસ્વામી

પપ્પા


કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે !

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો….

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો….

દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ તો પપ્પાની આંખો  બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો….

- ભરત ભટ્ટ ‘પવન’

સુવિચાર

* અહિંસા સત્યની શોધનો આધાર છે.
                            - 
ગાંધીજી

જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
              -આલ્બર્ટ આઈંસ્ટાઈન

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

happy life

 happy life :
"FORGET WHO HURT YOU YESTERDAY."
but 
"don't forget those who care 4 you everyday." 

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2012

* 3 સપ્ટેમ્બર .

* 3 સપ્ટેમ્બર ..
 સાક્ષરયુગના સમર્થ ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાની જન્મજયંતિ ..
            ( જન્મ : 3.09.1859)

શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

દિન વિશેષ

* 2 સપ્ટેમ્બર  ...
 બાળ કેળવણીકારનાં પ્રખર હિમાયતી ચિંતક ને લેખિકા તારાબેન મોડકની પુણ્યતિથી .....
                 ( મૃત્યુ : 2.09.1973..)

ધ્યેય

સાઉથ ગુજરાત પ્રોડિકટવીટી કાઉન્સીલ દ્વારા સમૃદ્ધિ હોલમાં સ્ટીફન કોવીનું પુસ્તક ‘સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્તીવ પીપલ્સ’ પુસ્તકનો રિવ્યૂ કરાયો હતો. ૧૬મી જુલાઇએ અમેરિકાના વિખ્યાત લેખક અને મોટિવેટર સ્ટીફન કોવીનું અવસાન થતા એમની શ્રધ્ધાંજલિના ભાગ રુપે આ રિવ્યૂ કરાયો હતો. ડો.અનિલ સરાવગીએ આ પુસ્તકનો રિવ્યૂ કરતા કહ્યું કે સ્ટીફન કોવીએ આ પુસ્તકને બહુ અદભૂત રીતે લખ્યું છે. જીવનને જેટલું સિરિયસલી જીવી શકાય એ રીતે જીવવું જોઇએ, એમાં રોજ રોજ નવી ગિલ્લી નવો દાવ નહિઁ ચાલે.’

ડો. અનિલ સરાવગીએ કહ્યું કે ‘જે રીતે હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભગવતગીતાનું, ખ્રીસ્તીમાં બાઇબલનું, ઇસ્લામમાં કુરાનનું મહત્વ છે એ જ રીતે પ્રોફેશનલ બિઝનેસમેન માટે આ પુસ્તક મહત્વનું છે. આ પુસ્તકમાં માનવજીવનનાં મૂળભુત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. માનવજીવનનાં ઉત્થાનથી એનામાં રહેલા મૂલ્યોને કઇ રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય એની માહિતી આપવામાં આવી છે. 

પુસ્તકમાં અપાયેલી સાત હેબિટ્સ મનુષ્યજીવનમાં હકારાત્મક અસરકારકતા લાવી શકે છે. આ આદતો પહેલા પોતાનામાં કેળવવી જોઇએ, એ પછી સંબંધ કેળવવામાં પણ આ આદતોનો ઉપયોગ કરી શકાય છે. આ આદતો દ્વારા મજબૂત સંબંધ કેળવી શકાય છે. પુસ્તકમાં સ્ટીફન કોવીએ કહ્યું છે કે ‘જીવનમાં અંતિમ ધ્યેય કલીઅર હોવું જોઇએ. પ્લાન વિના બિલ્ડિંગ તૈયાર નથી થતું, સ્ક્રીપ્ટ વિના ફિલ્મ નથી બનતી, એ રીતે જ ધ્યેય વિના જીવનને પણ અસરકારક નથી બનાવી શકાતું. જીવનમાં પરપિકવતા જરૂરી છે. પરપિકવતા સંજોગો સામે મક્કમ બનાવે છે.

મૃત્યુ


એક સરસ નાનકડી વાત આપની સમક્ષ રજુ કરું છું, રસ દઈને વાંચજો.
એક દિવસ યમદૂ…ત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો, ત્યારે પેલા માણસે કીધુ : હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી. 
યમદૂત : પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.
માણસ : તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.
(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદર આવે તેવી ઔષધિઓ ભેળવી દીધી)
જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.
થોડીવાર પછી યમદૂત મસ્ત પૈકી સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : હું તારા પર બહુજ ખુશ છું, તારા ઘરે સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે છે એને મારી સાથે સૌથી પેલા લઇ જઈશ!!!!

માણસ ની કિંમત


તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે “ કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે ? “
“ આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી. “  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “  ભાઈ તો મારી શું કિંમત છે ?”
અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે. “   “ શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફની જ છે.”
“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  - તૈમૂર એ વળતો ફરી તેને સવાલ કર્યો.
“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા માં  ના હોઈ શકે, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય  ? અને આમ છતાં,  તેની કિંમત પણ શું હોઈ શકે ?”
તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તે અહમદી ને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેરકરાર  કર્યો અને છોડી દીધો…
સાર: માણસની કિંમત પૈસા થી નક્કી નથી થતી તેના સ્વભાવ અને કાર્ય થી  નક્કી થાય છે

ગુરુવાર, 23 ઑગસ્ટ, 2012

આંસુ લૂછવામાં છે..

બહાદુરી હાથી મારવામાં નહિ,
પરંતુ કીડી ને બચવામાં જોયેં.
કુરબાની યુદ્ધ કરવા માટે વધુ નથી આપવી પડતી..
જેટલી શાંતિ રાખવા માટે આપવી પડે છે.....
તાકાત ક્રોધ કરવામાં વધુ નથી જોયતી.
જેટલી ક્ષમા આપવામાં જોયેં છે......
પરાક્રમ કોઈની આંખમાં આંસુ પાડવામાં નથી...
પરંતુ પડતા આંસુ લૂછવામાં છે...

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

અનમોલ રત્નકણિકા
















ફોટો ગેલેરી

















સુગંધ

કોઈ પણ અપેક્ષા વગર  બધાનું સારું કરવું ,
કારણકે , 
કોઈકે કહ્યું છે ,
" જે લોકો ફૂલ વહેચે છે તેના હાથમાં સુગંધ રહી જાય છે ."

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો,

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો,
માનવથી માનવને જોડવાનો પુલ બનાવવાનો છે...
નીકળતા આંસુને રોકવાનો ડેમ બનાવવાનો છે...
સાચા સંબંધમાં પડતી તિરાડને પુરાવી છે ...
અને,
વોટરપ્રૂફ સંબંધોનું ધાબુ ભરાવું છે...

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

નસીબની નાવ

 ધીરજની નાવને ,
કિનારો નથી હોતો .
ઝૂપડીના માલિકને ,
વિસામો નથી હોતો.
ભલે ઉભરાઈ નસીબ મોડું,
પણ એના છલકાયાનો અહેસાસ.
વર્તમાનને નથી મળતો.
તૂટે કચડાઈ નસીબ જેનું ,
એના ટૂકડાનો ભાર.
તોડનારને નથી લાગતો . 
ગગનના ચાંદને 
પડવાનો ડર નથી હોતો.
કયામતના દીવાનાને
કાયનાતનો લોભ નથી હોતો.
ચાહે વેચવું પડે  પ્રેમ માટે ઘર પોતાનું,
મળે નાં બદલામાં ધનસાગર,
ખરીદનારને ઈશ્વર એનો નથી મળતો....
             - મેહુલ વઢવાણા 'મીત'

કોઈનો લાડકવાયો


રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
                            - ઝવેરચંદ મેઘાણી

કદાચ


મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

          -વિપિન પરીખ

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

'માં'

    મમતાને કાયા મળે એટલે 'માં'ની રચના થાય છે. માં એટલે ઈશ્વરની ઈચ્છા , માં વ્યક્તિ નથી , અભિવ્યક્તિ છે. કાર્ય ક્ષેત્ર અસીમ છે .તે સાક્ષાત સર્જનહારનું સાકાર સ્વરૂપ છે . ઈશ્વરને ભજવાથી 'માં' નથી મળતી , પણ 'માં'ને ભજવાથી ઈશ્વર મળે . ઈશ્વર નિરાકાર છે , માં સાકાર છે. God could not be everywhere and therefore He made Mothers......

પરીક્ષક

  સૌથી મોટો પરીક્ષક તો ઈશ્વર છે . જે પેપર આપ્યા વગર કે IMPની હિંટ આપ્યા વગર ગમે ત્યારે વાર્ષિક પરીક્ષા લઇ લે છે ને વળી પાછો રીઝલ્ટ પણ ડીકલેર નથી કરતો ...

શનિવાર, 4 ઑગસ્ટ, 2012

પગલે પગલે સાવધ રહીને

પગલે પગલે સાવધ રહીને , પ્રેમળતા પ્રગટાવ્યે જા ,
અંતરના અજવાળે વીર , પંથ તારો કાપ્યે જા .
કાંટા આવે , કંકર આવે , ધોમ ધગતી રેતી આવે ,
ખાંડાની ધારે ને ધારે , ધૈર્ય ધારી ચાલ્યો જા.
શૈર્ય ધારી ચાલ્યા જા....અંતરને ...
હિમત તારી ખોતો નાં , સ્વાર્થ સામે જોતો નાં ,
શિસ્ત , શાંતિ ને સેવાના તું પાઠ સૌને આપ્યે જા .
દુર્ગમ પંથ કાપ્યે જા...અંતરને ...
      * સંત બાલ

અમારો દેશ






જગતના સર્વે દેશોમાં અમારો દેશ સારો છે ,
ભૂલો એ નાં કરે કોઈ ડી , અમારો દેશ સારો છે !
સરસ પહાડો અમારે ત્યાં , સરસ નદીઓ અમારી છે ,
સરસ ફૂલો સદા ઉગે , અમારો દેશ સારો છે !
પશુ - પંખી જુદા જુદા , અમારા દેશમાં બહુયે ,
બધી ચીજો અહી પાકે , અમારો દેશ સારો છે !
અમારા દેશમાં સતીઓ , અમારા દેશમાં સંતો ,
અમારા દેશમાં નેતા , અમારો દેશ સારો છે !
પ્રભુનો પાડ માનીશું , અમોને જન્મ અહી દીધો ,
સદા ગર્વે અમે કહીશું , અમારો દેશ સારો છે !!!

વંદન કરીએ માત ભારતી





 વંદન કરીએ માત ભારતી , માગું શિશ નમાવી ,
 શક્તિ દેજે શિવાજી જેવી , વીરતા રાણા પ્રતાપ જેવી !
દેશદાઝ સુભાષના જેવી, વંદન કરીએ માત ભારતી !
ભક્તિ દેજે મીરાના જેવી ,ઉદારતા ભામાશા જેવી,
ધીરજ દેજે કસ્તૂરબા જેવી, વંદન કરીએ માત ભારતી !
નીતિ દેજે ચાણક્ય જેવી , પવિત્રતા મહાદેવના જેવી ,
સ્વદેશભક્તિ પંડિતના જેવી , વંદન કરીએ માત ભારતી !
બુદ્ધિ દેજે વલ્લભના જેવી , કુશળતા શાસ્ત્રીના જેવી ,
દેશભક્તિ બાપુના જેવી , વંદન કરીએ માત ભારતી ! 
        

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

દીકરી દિલનો દીવો – જનક નાયક



વહાલી મારી દીકરી,
તું કુશળ છે એવું તારી મમ્મી પાસેથી જાણ્યું. આનંદ થયો. આપણી વચ્ચે સીધેસીધી વાતચીતનો સંબંધ નથી. એનું કારણ વિજાતીય સંબંધને કારણે સર્જાતો સંકોચ પણ હોઈ શકે. તું હસે છે ત્યારે બહુ સરસ લાગે છે. તું રિસાઈ જાય છે ત્યારે અરીસામાં ચહેરો જોઈ લેવો ! એ વિશે હું નહિ કહું. પણ આજે આપણે ‘સારા’ દેખાવા માટે કેવી કેવી શારીરિક માનસિક તૈયારીઓ કરવી જોઈએ એ વિશે જ વાતો કરીશું. અગાઉ આપણે આંતરિક અને બાહ્ય સૌંદર્યની થોડીક વાતો કરી છે. બંને પ્રકારનાં સૌંદર્યનું જીવનમાં મહત્વ છે. કેટલાક બહારની ઝાકઝમાળથી અંજાઈ જનારા હોય છે. એ જ્યારે તું લગ્નોત્સુક ઉમેદવાર તરીકે બહાર આવશે ત્યારે ખબર પડશે. બાહ્ય સૌંદર્યની જાળવણી પણ કરવાની જ છે પરંતુ એ અંગે આપણે પછી વાતો કરીશું.
આજે આપણે ક્યા ક્યા ગુણો આપણામાં વિકસવા દેવા જોઈએ અને એ ગુણથી કયો લાભ મેળવી શકાય એની વાતો કરીશું. આ મારા વિચારો છે. એની સામે તું દલીલ કરી શકે. પત્ર લખીને મને જણાવી શકે અથવા તું મને પણ વાત કરી શકે. અથવા દર વખતે બને છે તેમ મારી ફરિયાદ તું મમ્મીને પણ કરી શકે છે ! પણ આપણા વચ્ચેનું કોમ્યુનિકેશન કદી તૂટવું ન જોઈએ. તું આપણા કુટુંબમાં સૌની માનીતી અને સૌથી સુખી અને સફળ હોય એવી મારી અને તારી મમ્મીની ખ્વાહિશ હોય એ સ્વાભાવિક છે. મારા વિચારો તારા પર ઠોકી ન બેસાડાય તેની પણ મેં કાળજી લીધી છે. તો આપણા ઘરમાં એવું વાતાવરણ ઘડવાની મેં કાળજી લીધી છે કે, સાચા વિચારોને સ્વીકારવા. અને શક્ય હોય તો તેનો અમલ પણ કરવો. ખુલ્લા મનથી હું જીવ્યો છું અને હું ઈચ્છું કે, તું પણ ખુલ્લા મનથી જીવે. ખુલ્લા મનનો અર્થ એવો હરગિજ નથી કે, મનમાં જે આવે તે બોલી દેવું, સામી વ્યક્તિની લાગણીનો કદી વિચાર ન કરવો. ખુલ્લું મન એટલે ગાંધીજી કહે છે તેમ સારા વિચારોને અંદર આવવાની હવાબારી રાખવી અને તે મનમાં પ્રોસેસ થાય તેની તકેદારી રાખવી.
પ્રશ્ન એ પૂછવાનો કે, તારે તું જ્યાં પણ હોય ત્યાં બધાના માનીતાં બનીને રહેવું છે ? હું માનું છું કે, તારો જવાબ હકારમાં જ હશે. કેમકે દરેકની અતૃપ્ત વાંછના હોય છે કે, તેનું સંબંધવર્તુળ ખૂબ મોટું હોય. આપણે આપણી વર્તણુંકથી જ માનીતા કે અણમાનીતા બનતા હોઈએ છીએ. તો મારી વહાલી દીકરી, આજે આપણે જોઈએ સદવર્તન માટે શું કરવું જોઈએ ? કૅમેરાનું ફૉકસ આપણા પર રાખવાનું છે અને સાથે સાથે આપણી સાથેનાઓને પણ મહત્વ આપવાનું છે. આમ તો આ બહુ સરળ કામ છે. થોડીક કાળજી રાખવાની છે. આ માટે સૌ પ્રથમ તો મનને કેળવવાનું છે. આપણાં સારા કે ખરાબ વર્તન માટે અથવા આપણી સફળતા કે નિષ્ફળતા માટે સૌથી વધુ તો આપણું મન જ જવાબદાર છે. મનને તાલીમ આપીએ અને સતત મન પર દબાણ આપતા રહીએ કે, હું જે કંઈ પણ કરીશ તે સારું જ કરીશ. મનનો સહકાર મળે તો પછી બધું જ આપણી ઈચ્છા મુજબ ગોઠવાતું જશે.
દરેકમાં વધતા ઓછા પ્રમાણમાં નબળાઈઓ-સબળાઈઓ હોવાની જ. કેટલાક હોશિયાર માણસો કુશળતાથી પોતાની સબળાઈઓ નીચે નબળાઈઓ છુપાવી શકે છે. ચહેરાઓ છુપાવવાની કળા દરેકે જાણવી જ જોઈએ. તમે જે વિચારો છો, જે અનુભવો છો તે સીધું જ વ્યક્ત કરી શકો નહિ. તેમાં પણ નકારાત્મક લાગણીઓ તો નહિ જ. એ એસિડ જેવું કામ કરે છે ને સામી વ્યક્તિને સો ટકા દઝાડે છે. આપણી અંગત વ્યક્તિ જો દાઝે તો સ્વાભાવિક જ એની ઝાળ આપણને લાગવાની. દાઝવાની વેદના બંનેને થતી હોય છે. જેઓ દાઝે છે તેમને તો થાય છે, કદાચ તેઓને સૌથી વધુ અસર થાય છે. તો જેઓ નથી દાઝતા, પણ અતિ નિકટના જેઓ છે તેઓ પર પણ તેની અસર થતી હોય છે. એટલે બને ત્યાં સુધી પ્રયાસ એવો જ કરવો કે આપણે અથવા આપણા સંબંધીઓ કોઈ જ આપણા વાણીવર્તનથી દાઝે નહિ. તું આપણા મહોલ્લામાં રહેતી કૃતિને ઓળખે છે ? બે-એક વર્ષ પહેલાં જ તે અહીં લગ્ન કરીને આવી છે. આજ સુધી તેના સાસરિયામાં એડજસ્ટ થઈ શકી નથી. તેની ફરિયાદ એ છે કે, તેને કોઈ સમજી શકતું નથી. તો તેના સાસરિયાની ફરિયાદ એ છે કે, તે શોર્ટ ટેમ્પર છે. વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે, વાતવાતમાં તેને ઓછું આવી જાય છે, તેના અહંકારને ઠેસ પહોંચે છે. વાતવાતમાં તે રિસાઈ જાય છે. તેને હંમેશા તેની પ્રશંસા સાંભળવી જ ગમે છે. અને જો કોઈ તેની ટીકા કરે તો તે મોઢું ચઢાવી દે છે. બસ, ફરિયાદો જ ફરિયાદો.
વહુનું વહુ તરીકેનું સન્માન થવું જોઈએ. વહુને દીકરી ગણવાની વાત થાય છે ખરી, મહદઅંશે વહુ ને દીકરીમાં ભેદ રખાતો જ હોય છે. દીકરીને જે સવલત મળે છે, જે લાડપ્યાર મળે છે તે સાસરિયામાં મળશે જ એવી આશા રાખવી વધુ પડતી છે. હા, પણ વહાલી દીકરી, જો તું તારી નકારાત્મક લાગણીઓ પર કાબુ મેળવી શકીશ તો મને ખાત્રી છે, મેં તને જેટલી ચાહી છે તેનાથી પણ વધુ તારા સાસરિયામાં તને પ્યાર મળશે. એની શરત એ જ કે, સામા પૂરે તરીને મંજિલ પર પહોંચવાનું છે અને ત્યાંના માણસોને વાણીવર્તનથી પોતાના કરી લેવાનાં છે. માણસોને કઈ રીતે જીતી શકાય ? ચાલ દીકરી, આપણે આજે એ અંગે વિચારીએ….
[1] માણસને પ્રેમથી જ જીતી શકાય :
માણસને બે રીતે જીતી શકાય, એક, દાબદબાણથી અને બીજું, પ્રેમથી. તારી પાસે સોંદર્ય છે. તું પ્રથમ નજરે જ કોઈને ગમી જાય તેવી છે. તારો સ્વભાવ પણ સરસ છે. તું પ્રેમ સિવાય બીજું કશું જ આપી નહિ શકે એ હું જાણું છું. મેં તને શીખવ્યું છે, પ્રેમ કરવો. પ્રેમ મેળવવા માટે પણ દબાણ નહિ કરવું. પ્રેમ અનાયાસ મળતો હોય છે. પ્રેમ મેળવવા માટે જો પ્રયાસ કરવો પડે તો સમજવું કે સામી વ્યક્તિ કદી આપણી થાય નહિ. ‘તું મને પ્રેમ કરે તો જ હું તને પ્રેમ કરીશ’ એવો શરતી સંબંધ કદી લાંબો સમય ચાલે નહિ. સ્વાર્થ વિના કોઈ પણ સંબંધ શક્ય નથી એ નરી વાસ્તવિકતા છે. તો એ પણ સાચું છે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં સ્વાર્થને સ્થાન નથી. પ્રેમ માટે માણસ મરી પણ શકે છે તો પ્રેમને લીધે માણસ જીવી પણ શકે છે. તું દીકરી, જ્યાં પણ હો, ત્યાંની થઈને રહેજે. અહીંનું વાતાવરણ અને તું જ્યાં જવાની છે એમાં આસમાનજમીનનો ફરક હોઈ શકે છે. પણ ધીમે ધીમે વાતાવરણ આપણે આપણી મરજી મુજબનું ઘડી શકીએ છીએ. તને યાદ છે, આપણે સહકુટુંબ પિકનિક પર ગયા હતા. હું તમને લોકોને એક વેરાન જગ્યા પર લઈ ગયો હતો. ત્યાં દરિયો હતો, પણ માણસો બહુ ઓછા હતા. તેં ખિજાઈને કહ્યું હતું : ‘પપ્પા, અહીં ક્યાં લઈ આવ્યા ? અહીં મજા કઈ રીતે આવશે ?’ મેં હસીને કહ્યું હતું, ‘વાતાવરણ તો આપણે સર્જવાનું છે. ચાલ, આપણે આ દરિયા પર આનંદનાં મોજાંને ઊછળતાં જોઈએ.’ આપણે ત્રણ દિવસ રહ્યાં હતાં. જતી વખતે તું ઊલટાની ઉદાસ થઈ ગઈ હતી. ‘પપ્પા, હજુ થોડાક દિવસ રહીએ તો ? ખૂબ મજા આવે છે.’ તાત્પર્ય એટલું જ કે, આપણે આપણી મરજી મુજબનું વાતાવરણ ઘડી શકીએ. તું જ્યાં પણ હો, બધાં સાથે મળીસમજીને રહેશે તો તારી ફરિયાદ કરવાનો તેઓને મોકો જ નહીં મળે. માબાપ તરીકે તારી કેટલીક નબળાઈઓ અમે ચલાવી લીધી હશે. પણ તું લગ્ન કરીને જશે પછી તો એ નબળાઈઓ પર તારે કાબુ મેળવવાનો જ હોય. સૂત્ર એક જ છે, પ્રેમથી જ સાથે રહી શકાય, આનંદથી રહી શકાય, ને સગવડ ઓછી હોય તો પણ સુખી થઈ શકાય. સૂકો રોટલો ખાવાનો હોય, પણ સાથે બેસીને ખાતાં હોઈએ તો એ મીઠો જ લાગશે. પણ કટાણું મોઢું કરીને એ ખાઈશ તો એ રોટલો ગળામાંથી જ નીચે ઊતરશે નહિ. નક્કી તારે કરવાનું છે, તારે કઈ રીતે જીવવું છે ? જો સુખી જિંદગી જીવવી હોય તો પ્રેમથી જીવતાં શીખવું પડશે. જેમ એકમેક પ્રતિ સ્નેહ વધશે તેમ જીવવાનો આનંદ પણ વધતો જશે. તું સુખી હોઈશ, તો અમારી બંનેની પાછલી જિંદગી ચોક્કસ સુધરી જશે. દીકરીને સાસરે વળાવતી વખતે દરેક માબાપનું એક હૃદય પણ તેની સાથે જતું હોય છે. દીકરી, તું જ્યાં પણ હો, સુખી થા. આનંદથી જીવજે. પ્રેમ વહેંચજે. એટલે તારે કદી કોઈની પાસે પ્રેમ ઉઘરાવવો નહિ પડે.
[2] માણસને કામથી જ જીતી શકાય :
તું સમજણી થઈ ત્યારથી મેં અને તારી મમ્મીએ તને નાનાંમોટાં કામ સોંપવા માંડ્યા હતાં. તું ક્યારેક ખિજાતી પણ ખરી. ‘આ શું દરેક કામ મારી પાસે જ કરાવો છો ?’ ક્યારેક કામ કરવાની ના પાડતી ત્યારે ક્યારેક સમજાવીને તો ક્યારેક ખિજાઈને પણ તારી પાસે કામ કરાવવાનો મેં આગ્રહ રાખ્યો હતો. કોઈક વખત તારી મમ્મીએ તારો પક્ષ લીધો છે. મારી સાથે તને કામ સોંપવા બાબત ઝઘડો પણ કર્યો છે. ‘દીકરી બિચારી ભણીગણીને થાકી ગઈ છે. એને આરામ કરવા દો.’ અમારી વચ્ચે ઘણી વખત તારે લીધે અબોલા સર્જાયા છે. તો પણ મેં મારો તારી પાસે કામ કરાવવાનો કક્કો મૂક્યો નહોતો. આગ્રહ રાખ્યો હતો, તારું કામ તારે જાતે જ કરવાનો અને ઘરના દરેક સભ્યનું નાનુંમોટું કામ કરતા રહેવાનો. તને ઘણી વખત ખોટું પણ લાગી જતું. મમ્મી પાસે તું મારી ફરિયાદ પણ કરતી. પણ દીકરી, મને હંમેશ આગળનું જોવાની આદત છે. તારે આગળ શું કરવાનું છે એ વિશે તેં જેટલું વિચાર્યું હશે તેનાથી કંઈ વધારે મેં વિચાર્યું છે. તને મારે પારકા ઘરે સુખી કરવી હોય તો તારા પર સતત કામ કરતા રહેવાનું દબાણ મૂકવું જ પડે. મને માફ કરજે. પણ કામ તો સતત કરતા રહેવું જ પડે. માણસ તેના કામથી જ ઓળખાય છે.
જ્યારે પણ હું માંદો પડતો ત્યારે તું નરવસ થઈ જતી. તેં મારી ખૂબ સેવા કરી છે. માથું દુ:ખતું હોય ત્યારે પણ હું તો તારી પાસે જ એ દબાવવાનો આગ્રહ રાખતો. તારી મમ્મીને આ બાબતે ઘણી વખત ખોટું લાગી જતું. એની ઉપેક્ષા કરું છું એવું પણ એને લાગતું. તું મારી સેવા કરતી હોય ત્યારે તારા ચહેરાના હાવભાવની મેં સતત નોંધ રાખી છે. માણસનો ચહેરો તેના સ્વભાવ વિશે તરત ચાડી ખાતો હોય છે. મને આનંદ એ વાતનો છે કે, તેં કદી સેવા કરવામાં લુચ્ચાઈ કરી નથી. તેમ તારા ચહેરા પર કદી પણ મેં કંટાળાનો ભાવ અનુભવ્યો નથી. આ એક સારી નિશાની છે. સેવા કરવાની આદત પાડવી જ પડે. આપણામાંથી મોટાભાગનાને સેવા કરતાં આવડતું જ નથી. માંદા માણસ સાથે સ્નેહથી વર્તવાનું હોય. સેવા કરવામાં કદી થાક લાગતો નથી. ઘરનું જેમ કામ કરીએ તેમ માંદા માણસની સેવાને પણ એક કામ ગણીને રસથી કરવું જોઈએ. તેં જ્યારે પણ મારી દિલથી સેવા કરી છે ત્યારે મેં ઝડપથી સ્વસ્થતા મેળવી લીધી છે. સારા થવામાં મને તારી હૂંફ બહુ કામ લાગી છે. ઘરમાં નાનીમોટી માંદગી તો આવતી હોય છે. તું દરેકની સેવા કરજે. પ્રેમથી સેવા કરજે. કદી પણ ચહેરા પર કટુતાનો ભાવ આવવો જોઈએ નહિ. માંદગી લંબાય તો વિચલિત થતી નહિ. ક્યારેય પણ બોલીશ નહિ કે ‘આ ડોસો કે ડોશી જાય તો સારું.’ તું કદી તારાં માબાપ માટે આવું હીન કક્ષાનું વિચારી શકે છે ? તો પછી તારા સાસુસસરા કે બીજી કોઈ વ્યક્તિ વિશે કઈ રીતે આવું ખરાબ વિચારી શકાય ? સાસરામાં ગયા પછી તારા સાસુસસરાને માબાપ ગણીને વર્તજે. તારી મોટા ભાગની સમસ્યા આપમેળે ઉકલી જશે. મહદંશે એક ફરિયાદ એવી થાય છે કે, અમને વહુ તરીકે જ ગણવામાં આવે છે તો અમારે શા માટે દરેક બાબતમાં એમનું માનસન્માન જાળવવું જોઈએ ? જેવા સાથે તેવાની નીતિ જ અપનાવવી જોઈએ ને.. – આ સંઘર્ષની નીતિ છે. તેનાથી કુટુંબમાં માનસિક તનાવ વધતો હોય છે.
કામ કરતા રહો. કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. ઘણી વખત આપણને સરખામણી કરવાની કુટેવ હોય છે. ‘હું આટલું બધું કામ કરું છું ને પેલી કશું જ કરતી નથી.’ ઘરનો દરેક સભ્ય આવું વિચારે તો કોઈ કામ થાય જ નહિ. આપણે આપણું કામ કરવાનું. બની શકે તો બીજાનું કામ પણ કરી આપવાનું. દીકરી, જેટલું વધુ કામ કરશે તેટલી તારી હેલ્થ સારી રહેશે. બીજું, કાયમ બીજાનું કામ કરતા રહેવાથી એ માણસ આપણા પર પરાવલંબી બની જાય છે. જાણ્યેઅજાણ્યે આપણા પ્રભાવમાં પણ રહે છે. બે આંખની શરમ પણ તેને નડતી હોય છે. બીજાનો પ્રેમ મેળવવો હોય તો સતત કામ કરતા રહો. દીકરી, જીવનભર આ ભૂલીશ નહિ. તું પણ સુખી, તારું કુટુંબ પણ સુખી અને તેથી અમે સૌ પણ સુખી.
હવે આ પત્ર પૂરો કરું ? છેલ્લે ફરી અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું તે જોઈ લઈએ.
# એક, માણસને પ્રેમથી જીતી શકાય.
~ પ્રેમમાં માણસ મરી પણ શકે ને પ્રેમથી માણસ જીવી પણ શકે.
~ પ્રેમ વહેંચતા રહીએ તો કદી પ્રેમ ઉઘરાવવો પડે નહિ. પ્રેમ આપોઆપ જ મળતો હોય છે.
# બે, માણસને કામથી જ જીતી શકાય.
~ કામ કરવાથી સામી વ્યક્તિના માનીતા બની શકાય.
~ સેવા કરતા રહેવું. સેવા કરવામાં કદી કટાણું મોઢું કરવું નહિ ને કંટાળવું નહિ.
~ કામ કરતી વખતે આપણે શું કરવાનું છે તે જ ધ્યાનમાં રાખવું. કદી કોઈની સાથે સરખામણી કરવી નહિ.
રાવણે સત્તાથી, દાબદબાણથી સીતાને જીતવાનો પ્રયાસ કર્યો, ને તે હાર્યો. આપણું સારાપણું હંમેશ ગુલાબના ફૂલની જેમ મહેંકતું રહેતું હોય છે. કેટલાક કાગળના ફૂલો જેવા હોય છે. લાગણી જેવું કશું નહિ, ને માત્ર અપાર લાગણી હોવાનો દંભ કરે, દેખાવ કરે. આ માણસો શરૂઆતમાં થોડાક સફળ પણ થાય. પણ પછી તરત પકડાઈ જાય. એનું કારણ એ છે કે આ લોકો કોઈક ને કોઈક સ્વાર્થથી સંબંધો બાંધતા હોય છે. એટલે સ્વાર્થ પૂરો થાય પછી ‘એનું હવે શું કામ ?’ એવું વિચારીને સંબંધો તોડી નાખે છે. આ માણસો કદી પણ આપણા ખરા સંઘર્ષના સમયે સાથે ઊભા રહી શકતા નથી. કાગળના ફૂલોની સુગંધ ન હોય. તે દેખાય સરસ, દૂરથી કદાચ ખ્યાલ પણ ન આવે, પણ નજદીક આવે એટલે તેઓ પકડાઈ જાય. દીકરી મારી, કદી પણ કાગળનું ફૂલ બનીશ નહિ. સાચું ગુલાબ બનવાનો પ્રયાસ કરશે તો તું જીવનમાં ઘણું ઘણું મેળવી શકશે.

પૈસા ખાતર જૂઠું નહીં બોલું


ઈરાન દેશની આ વાત છે. સૈયદ અબ્દુલ કાદિર નામનો એક છોકરો બહુ ગરીબ. પિતા તો નાનો હતો ત્યારે જ મરી ગયેલા. માએ મહેનત-મજૂરી કરી ઉછેર્યો. કાદિરને ભણવાની બહુ ઈચ્છા. તેને વિદ્વાન બનવું હતું પણ તેનું ગામ તો નાનું. ભણતરની સગવડ નહીં. ભણવા માટે દૂર બગદાદ શહેરમાં જવું પડે. મા એટલા પૈસા ક્યાંથી લાવે ? વળી, તે જમાનામાં ન રેલ્વે હતી, ન બસ, ન મોટરો. વેપારીઓ ઊંટો ને ખચ્ચરો પર માલસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. માએ ગમે તેમ કરી આવી એક વણજાર સાથે કાદિરને બગદાદ મોકલ્યો. જતી વખતે દીકરાને 40 અશરફીઓ આપી અને કહ્યું : ‘બેટા, મારી પાસે આટલા જ પૈસા છે. બહુ કરકસરથી રહેજે. અને કદી જૂઠું ન બોલતો. અલ્લાહ ભારે દયાળુ છે. એ તારી સંભાળ લેશે.’
હવે બન્યું એવું કે રસ્તામાં ડાકુઓએ આ વેપારીઓ ઉપર હુમલો કર્યો અને એમને લૂંટી લીધા. કાદિરનાં ફાટ્યાંતૂટ્યાં ને મેલાંઘેલાં કપડાં જોઈ ડાકુઓને થયું કે આની પાસે શું હશે ? એટલે તેને એમનેમ છોડીને જતા રહ્યા. તેવામાં એક ડાકુએ પૂછ્યું :
‘એ ય છોકરા ! તારી પાસેય કાંઈ માલમતા છે કે ?
કાદિર કહે : ‘જી હા. મારી પાસે 40 અશરફી છે.’
ડાકુને થયું કે આ આપણી મજાક કરે છે. એટલે ચિડાયા, ‘બદમાશ ! અમારી મશ્કરી કરે છે ?’
‘જી નહીં.’ એમ કહી કાદિરે તો 40 અશરફી કાઢીને બતાવી. ડાકુઓ અવાક થઈ ગયા. એમના સરદારે કાદિરને પૂછ્યું : ‘કેમ બેટા, તને ખબર તો હતી કે અમે લૂંટારા છીએ અને તારી આ અશરફીઓ લૂંટી જઈશું, છતાં તેં આવું કેમ કર્યું ?’
કાદિર બોલ્યો : ‘મારી માએ મને કહ્યું છે કે ગમે તેટલી મુશ્કેલી પડે. છતાં કદી જૂઠું ન બોલવું. તો શું હું આટલી અમથી અશરફી બચાવવા ખાતર જૂઠું બોલું ? અલ્લાહ ભારે દયાવાન છે. એ મારી સંભાળ લેશે !’
ડાકુઓના દિલને ધક્કો લાગ્યો : ‘ધન્ય છે આ છોકરો ! કેટલો નેક ને ઈમાનદાર ! જ્યારે આપણે તો નિર્દોષને સતાવીએ છીએ. છી…છી…છી !’ એમની આંખ ખુલી. એમને પસ્તાવો થયો. એમણે કાદિરની બધી અશરફી પાછી આપી અને વેપારીઓને પણ એમનો બધો માલસામાન પાછો સોંપ્યો. એટલું જ નહીં, એમનું એટલું બધું હૃદયપરિવર્તન થઈ ગયું કે એમણે ત્યારથી ડાકુનો ધંધો જ છોડ્યો. સચ્ચાઈભર્યા વર્તનની આવી અદ્દભુત અસર થતી હોય છે.
.

રવિવાર, 29 જુલાઈ, 2012

ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 તારીખ : આજની જ. 
પ્રતિ,
તમોને જ
વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર
પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના
મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર
એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા
સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
                                                                                                                                             એ જ લિ,
                                                                                                                                    ભગવાનની આશિષ.