ધીરજની નાવને ,
કિનારો નથી હોતો .
ઝૂપડીના માલિકને ,
વિસામો નથી હોતો.
ભલે ઉભરાઈ નસીબ મોડું,
પણ એના છલકાયાનો અહેસાસ.
વર્તમાનને નથી મળતો.
તૂટે કચડાઈ નસીબ જેનું ,
એના ટૂકડાનો ભાર.
તોડનારને નથી લાગતો .
ગગનના ચાંદને
પડવાનો ડર નથી હોતો.
કયામતના દીવાનાને
કાયનાતનો લોભ નથી હોતો.
ચાહે વેચવું પડે પ્રેમ માટે ઘર પોતાનું,
મળે નાં બદલામાં ધનસાગર,
મળે નાં બદલામાં ધનસાગર,
ખરીદનારને ઈશ્વર એનો નથી મળતો....
- મેહુલ વઢવાણા 'મીત'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો