શુક્રવાર, 13 એપ્રિલ, 2012

માની ગોદ

જે મસ્તી હોય છે આંખોમાં ,

તે સુરાલયમાં નથી હોતી..

અમીરી કોઈ અંતરની તે,

કદી મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને એ ,

માનવી ..તું દોટ કાં મૂકે?

જે હોય છે માની ગોદમાં ,,

તે હિમાલયમાં નથી હોતી....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો