ચિત્રકાર પોતાની ચિત્રકળા દ્રારા સમાજને ઘણું માર્ગદર્શન
આપી શકે છે. સમાજની સમસ્યાઓનું પ્રતિબિંબ પણ ચિત્રકળામાં હોય
છે. હોલમેન હન્ટ નામના ચિત્રકારે એક ચિત્ર દોર્યું હતું . આ ચિત્રમાં
ભગવાન ઇસુ હાથમાં ફાનસ લઇ એક બારણાં પર ટકોરા મારતા નજરે
પડે છે. ચિત્ર ખૂબ જ સુંદર હોય છે. તે જોઈ હન્ટના મિત્રએ કહ્યું કે. ચિત્ર
સુંદર છે પણ તેમાં એક ખામી છે અને તે છે કે , જે બારણાને ઇસુ ટકોરા
મારે છે તેમાં હેન્ડલ નથી. ચિત્રકારે તુરંત જવાબ આપ્યો કે , ઇસુ જે
બારણાને ટકોરા મારે છે એ સામાન્ય દરવાજો નથી . આ માનવ હદયનું
બારણું છે. અને તે અંદરથી જ ખૂલે છે . તેને બહાર હેન્ડલની જરૂર નથી.
બહારથી કોઈ ન ખોલી શકે જો માનવ ઈચ્છે તો જ ખૂલે...આમ અંતરના
દ્રાર આપણાં પર નિર્ભર છે. આપણે ઈચ્છીએ તો જ હ્દયનો દ્રાર આપણે
ખોલી શકીએ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો