ગુરુવાર, 3 મે, 2012

પૈડું ગતિ કરે તે માટે ધરી જરૂરી

                  ગુરુ પકડે જરૂર પણ જકડે નહી , કારણ પૈડું જો ધરીનું  

બંધન સ્વીકારે તો જ તેની ગતિ  થાય . જાણીતા કથાકાર રમેશભાઈ 

ઓઝાએ ખૂબ સારી વાત કરી છે કે , ગતિ  થાય તો જ પ્રગતિ  થાય , 

અને લક્ષ્ય સિદ્ધ થાય . સદગુરુ ધરી છે અને શિષ્ય પૈડું . ગુરુને કારણે 

જ શિષ્યની અંદરની - બહારની ગતિ  થાય છે . જયારે જકડવાની 

વાત આવે ત્યારે સામ્પ્રદાયિકતા વધે . સકીર્ણતા  આપોઆપ વધે . 

બીજું એ છે કે , ગુરુની શોધ કરવી જરૂરી નથી . આપણે  અધિકારી 

શિષ્ય બનવાનું છે . તે બનીશું તો જ ગુરુ હશે . ગુરુ પોષણ કરે , 

શોષણ નહી . જીવનના વિકાસ માટે ગુરુ જરૂરી છે . ગુરુ ચંદ્ર જેવો 

શીતળ  જોઈએ . સૂર્ય જેવો નહી. કારણ કે તેની સામે જોવાથી આંખ 

અંજાય જાય છે . કોઈનાથી અંજાય જવાની જરૂર નથી . પ્રભાવિત 

થવાની જરૂર છે ..  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો