શુક્રવાર, 11 મે, 2012

જ્ઞાન અને ભાવ

            એક ગુરુને  કોઈ શિષ્યએ  પૂછ્યું કે , મારે શિક્ષક બન્યા પછી શું કરવું ?

ગુરુએ જવાબ આપ્યો કે, શિક્ષકમાં બે સત્વ જરૂરી છે . 

એક ઉંડાણતા  અને બીજું વિશાળતા ..ઉંડાણ નાં હોય તો ઝાડ 

ઉથલી પડે અને એકલું ઉંડાણ થાય ને વિસ્તાર ના થાય તો ઝાડ પર  

ફળ ના બેસે ....


              દોસ્તો , આ દ્રષ્ટાંત આપણને ઘણું કહી જાય છે. શિક્ષકે 

જ્ઞાનનો વિસ્તાર કરવાનો છે .ને ભાવનાની ઉંડાણતા લાવવાની છે . 

જ્ઞાનનો વિસ્તાર થશે તો જ શિક્ષણના સાચા ફળ મળશે ને 

ભાવનાની ઉંડાણતા આવે તો શિક્ષણનું ઝાડ મજબૂત થશે ..

  શિક્ષક સંકલ્પ : - હું મારા શિક્ષકના વ્યવસાયને ચાહું છું , તેથી  

વાચન , મનન , અને જીવન દ્રારા તેનો વિસ્તાર કરીશ . અને 

ઉંડાણતા  લાવીશ .. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો